Total Pageviews

Wednesday, 19 January 2022

પર્યાવરણનો અર્થ અને કાર્યક્ષેત્ર અને મહત્વ ..


Foundation Course ...   

Paper Name : Environment Science .


એકમ  ૦૧ 

  • પર્યાવરણ અધ્યયન 

પર્યાવરણના અભ્યાસની વ્યાખ્યા 

-  પર્યાવરણનું કાર્યક્ષેત્ર અને મહત્વ 

- પર્યાવરણીય શિક્ષણના ઉદ્દેશો 

-  પર્યાવરણીય શિક્ષણના સિદ્ધાંતો 

- પર્યાવરણ સાથે સંકળાયેલા લોકો 


ઉપર દર્શાવેલ મુદ્દાને આવરી લેતો જવાબ ....

૧)  પર્યાવરણ એટલે શું ?  તેની વ્યાખ્યા આપી તેનું  કાર્યક્ષેત્ર અને મહત્વ જણાવો (૧૪) 

 પ્રસ્તાવના ; 


             "પ્રકૃતિએ ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે " 


આ વિધાનમાં  સત્યજ કેહવાયું છે કે પ્રકૃતિ યે ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે.  

આપણે સો પર્યાવરણના સંતાનો છીએ . આ પર્યાવરણ ન હોત તો આપણું ભાગ્યેજ અસ્તિત્વ હોત એવું કેહવાય છે . પર્યાવરણથી જ આપણું માનવજીવન ધબકતું રહે છે . માનવ જીવનના અસ્તિત્વ , વિકાસ તેમજ પ્રગતિનું પ્રેકબળ આ પર્યાવરણ જ છે . તો ચાલો આપણે પર્યાવરણ વિશે વિગતે ચર્ચા કરીએ …


  • પર્યાવરણનો અર્થ 

પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલ છે તે. પર્યાવરણનો શાબ્દિક અર્થ "પરિ" અને "આવરણ " એવો થાય છે.  આમ "પરિ એટલે ચારે બાજુ " અને "આવરણ " એટલે " પડ" તેથી " પર્યાવરણ એટલે આપણી ચારેબાજુ રહેલ આવરણ " . ગુજરાતીમાં પર્યાવરણનો શાબ્દિક અર્થ વાતાવરણ થાય છે , પરંતુ અહી વાતા ( હવા ) નહિ પરંતુ તમામ કુદરતી પરિબળો થાય છે . આમ , ટૂંકમાં પર્યાવરણ એટલે 

" પરિ - ચારેબાજુ 

" આવરણ - પડ 

પર્યાવરણ એ પરિ અને આવરણ એમ બે શબ્દોનો બનેલ છે . પર્યાવરણને અંગ્રેજીમાં Environment 

  • છપર્યાવરણની વ્યાખ્યા

સાદા શબ્દોમાં કહીએ ; 

" પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલ એક આવરણ 

  ઇ . જે રાસ ના મત મુજ

"પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવીને પ્રભાવિત કરે છે 

આમ "પર્યાવરણ એટલે મુદાવરણ, જલાવરણ , વાતાવરણ અને જીવાવરણ નો સમન્વય 


  • પર્યાવરણના લક્ષણ ; 

  1. પર્યાવરણ એ એક જટિલ બાબત છે જેમાં માનવ , પશુ , પંખી અને નદી , સરોવર , વૃક્ષ  જેવા વન્યજીવો નો સમાવેશ થાય છે 
  2. પર્યાવરણમાં સંપૂર્ણ જૈવિક અને અજૈવિક બાબતોનો સમાવેશ થાય છે .
  3. પર્યાવરણમાં  આપણી આસપાસના બધાજ આવરણોનો સમાવેશ થાય છે. 
  4. પર્યાવરણનો અભ્યાસ ખુબજ વિસ્તૃત છે જેમાં રસાયણ વિજ્ઞાન , ભોતિકવિજ્ઞાન , જીવ વિજ્ઞાન , આંકડાશાસ્ત્ર , અર્થશાસ્ત્ર , મનોવિજ્ઞાન , કમ્પ્યુટર , ભૂગોળ etc .
  5. પર્યાવરણ એ સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા છે .
  6. પર્યાવરણ એ એક ઉપયોગી પ્રક્રિયા છે .


  • પર્યાવરણનું કાર્યક્ષેત્ર …

પર્યાવરણનું કાર્યક્ષેત્ર એટલે પર્યાવરણમાં સમાવિષ્ઠ બાબતો ..


  •  મૂદાવરણ…

આ આવરણ એ એક ઘન આવરણ છે . તે સજીવોનો અધારૂપ આવરણ છે . તેના ઘન તત્વમાં ખડક , ખનિજ તત્ત્વો અને માટી મુખ્ય છે . આ ભાગ પર પર્વતો , પ્રદેશો , મેદાનો , ખીણ , કોતરો વગેરે અનેક ભૂમિ સ્વરૂપ આવેલ છે

  • જલાવરણ

પૃથ્વીની સપાટી પરનું પાણીનું આવરણ એ જલાવરણ છે . તેમાં મહાસાગર , સાગરો , સરોવરો , નદીઓ વગેરે નો સમાવેશ થાય છે . આ આવરણ પર્યાવરણને જીવંત રાખવામાં અતિ મહત્ત્વનો ફાળો આપે છે. એથી જ કેહવાય છે " જળ એ જીવન છે " 

  • વાતાવરણ

આ વાયુમય આવરણ છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી દૂર આવેલ છે. જેમાં …

નાઇટ્રોજન ૭૮% 

ઓક્સિજન ૨૦% 

ઓર્ગન ૦૦.૯૩% 

કાર્બન ડાયોક્સાઈડ ૦૦.૦૩% 

  • જીવાવરણ….

આ આવરણ પૃથ્વીની સપાટી પરના પર્યાવરણનું જીવંત આવરણ છે. જીવારણમાં માનવસહિત પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ નો સમાવેશ થાય છે. જીવાવરણનું સૌથી શક્તિશાળી અંગ માનવ છે . તે સમગ્ર પર્યાવરણને કેન્દ્ર સ્થાને છે. પોતાનું જીવન ટકાવી રાખવામાં માટે માનવીને હવા , પાણી , ભૂમિ , વૃક્ષો , પ્રાણી વગેરે ની જરૂર પડે છે


  • પર્યાવરણ નું મહત્વ 

1) ટકાઉ સૃષ્ટિ માટે

     આજે વિકાસ પૂરતો નથી .વિકાસની સાથે વિકાસ નિરંતર અને કાયમી હોવો જરૂરી છે. આમ , 

       " કાયમી અને નિરંતર વિકાસએ ટકાઉ વિકાસ છે " 

- પર્યાવરણમાં ટકાઉ વિકાસ જરૂરી છે . 

- દા. તા છાણમાંથી કોલસો નીકળીને બળતણ તરીકે ઉપયોગી થાય છે.  

2) સમતોલ વિકાસ માટે

પર્યાવરણ વિના માનવ , સમાજ કે પ્રાણી સૃષ્ટિનુ અસ્તિત્વ સંભવજ નથી આથી જ પર્યાવરણ અને માનવ વચ્ચે આંતર સંબધ રહેલ છે . આમ , 

- માનવીએ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને દૂષિત અને નુકસાન કર્યું છે.  .

૩) માનવ અને પર્યાવરણનો સંબધ સમજવા માટે

- માનવીની પ્રત્યેક જરિયાતો. પર્યાવરણ ઉપર આધારિત જોવા મળે છે.

- માનવી જમીન ઉપર રહે છે અને જમીન દ્વારા ખોરાક મેળવે છે 

- આમ , ખોરાક , પાણી , હવા , જમીન વગેરેનો સમન્વય એટલે પર્યાવરણ અને દરેક જીવંત સજીવ તેના પર નિર્ભર રહે છે 

4) પર્યાવરણના રક્ષક આંદોલનો કરવા

- આધુનિક યુગમાં જેમ જેમ ઉધોગીકરણ  , શેહરીકરણ  વધતું જાય છે તેમ તેમ જંગલોનો વિનાશ થતો જાય છે 

 - આ સમયે પર્યાવરણ પ્રેમી પર્યાવરણનું રક્ષક કરી તેની સુરક્ષા કરતા જાય છે 

5) પર્યાવરણ અંગેના NGO ની ભૂમિકા

- પર્યાવરણનું મહત્વ શું છે અને તેની  સંભાળ તેમજ સુરક્ષા અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે NGO અનેરો ભાગ ભજવે છે . 

- આમ , N.G.O યે પર્યાવરણના રક્ષણ , જાણવણી  અને જતનનું ઉમદા કામ કરે છે




    









1 comment:

Trees are our best friends

meenakshreebhil@gmail.com  Trees are our best friends                   " Trees are like saints , we throw stones ,                   ...